એમ કહેવાય છે કે માણસ એક દિવસમાં ૬૦૦૦૦
કરતા વધુ વિચારો કરે છે અને એની જીંદગી એ ૬૦૦૦૦ વિચારો પર નિર્ભર છે. હા, બરાબર
સાંભળ્યું તમે, તમારી જીંદગી નિર્ભર તમાર વિચારો પર છે, ના કે જન્માક્ષરમાં કે ના
ભવિષ્યમાં, ના તમારા હાથની હથેળીમાં કે ના તમારા કપાળમાં. તમારું જીવન સુખી કે
દુખી, ખુશ કે નાખુશ, ગરીબ કે અમીર, ઊંચું કે નીચું તમારા વિચારોમાં છે.
આ બહુ મોટી વાત મને મારા જીવનમાં સમજાઈ
છે, હું હમેશા એમ વિચારતી હતી કે નસીબ જ બધું છે અને નસીબમાં હોય તો મળે પણ એવા
ગણા કિસ્સા મારા અને બીજાના જીવનમાં મેં જોયા છે એના પરથી હું એ મુદ્દા પર આવી છું
કે આપણુ જીવન આપણા વિચારોથી જ હોય છે.
આ સમજવા માટે તમે હમણાં જ એક પ્રયત્ન કરો.
અત્યારના તમારા જીવનમાં જે ચાલી રહ્યું છે એની નોંધ એક કાગળ પર લખો, સારું કે
ખરાબ. એ લખ્યા પછી એમ વિચારો કે આ જે ચાલી રહ્યું છે, એ થવાની પાછળ તમારા કેવા
વિચારો હતા? દાખલા તરીકે તમારા જીવનમાં હમણાં આર્થિક મંદી ચાલતી હોય તો શું તમે
થોડા કેટલા વખતથી એ ભયમાં રહેતા હતા કે તમારી પાસે પૈસા નહિ હોય કે જે મળ્યું છે એ
ચાલ્યું જશે તો? ઊંડાણથી તપાસ કરતા તમને એ જરૂર સમજાશે કે તમે જે વિચારતા હતા એ
સાચું પડ્યું અને સાચે જીવનમાં મંદી આવી ગઈ.
જેમ કોઈ બાળકને એમ જ કહેવામાં આવે કે તુ જીવનમાં
કાઈ નહિ બની શકે અને તુ ઠોઠ છે તો એ સાચેજ ઠોઠ રહેશે, કારણ એ બાળકના એ વાત મનમાં
રાખીને એ જ વિચારો કરતો હોય છે.
જો તમેં દિવસના ૬૦૦૦૦ વિચારોમાંથી ૬૦%
કરતા વધારે ખરાબ વિચારો કરતા હો તો તમારા એ વિચારની અસર તમારા જીવન પર જરૂર દેખાશે.
જો કોઈ વ્યક્તિ નવો ધંધો શરુ કરતો હોઈ અને એ કાર્ય માં એ હમેશા નિષ્ફળ જવાના જ
વિચાર કરતો હશે તો એ ક્યારેય એ કાર્યમાં સફળ નહિ થઇ શકે. એનો અર્થ એમ પણ નથી કે નવા
ધંધામાં નિષ્ફળ કેવી રીતે જવાશે એની કાળજી પણ ના લો. બંને એકાંતિક વિચારો છે. પણ
જો એ વ્યક્તિ સફળતાના વિચારો નિષ્ફળતા કરતા વધારે કરશે અને નિષ્ફળતાના રસ્તા ધીમે
ધીમે બંધ કરશે તો એ જરૂરથી સફળતાને પામશે.
ગણા આવિષ્કારો આ દુનિયામાં આવ્યા જ નથી કારણ
લોકોએ નિષ્ફળ પામીશ એ વિચારથી આગળ વધવાનો પ્રયત્ન જ કર્યો નથી. નકારત્મક વિચારો માણસને
આગળ વધતા અટકાવે છે.
એક ખાબોચિયામાં ૫-૬ દેડકા રહેતા હતા, પાણી
ઓછુ થવાના કારણે દેડકાઓ ઉપ્પર જમીન પર કુદી નહોતા શકતા, દેડકાઓએ ગણી મહેનત કરી, ગણા કુદકા
માર્યા પણ ઉપર ચઢી જ ના શક્યાં, થાકીને બધા દેડકાઓ નીચે બેસી ગયા. પણ હજુ એક દેડકાની મહેનત
ચાલુ હતી, બાકીના બધા દેડકા એને કહેતા કે રેહવા દે ઉપર નહિ ચઢી શકાય, પણ એ માંને એવો
નહોતો. થોડી મહેનત અને ધીરજથી એ દેડકો ઉપ્પર જમીન પર ચઢી ગયો. બાકીના દેડકાઓને ખુબ
આશ્ચય થયું અને એ લોકોએ પણ એને જોઇને મહેનત કરી અને ચઢી ગયા. થોડી વાર પછી બાકીના
દેડકાઓએ પહેલા ચઢેલા દેડકાને પૂછ્યું કે તુ આ કેવી રીતે કરી શક્યો? તો પેલા દેડકાએ
કોઈ જવાબ ના આપ્યો. તમને ખબર છે કેમ? કારણ એ દેડકો બહેરો હતો, એને બીજા દેડકાની ‘તુ
ઉપ્પર નહી ચઢી શકે’ એ વાત સંભળાઈ જ નહોતી. એના મનમાં તો એ જ વિચારો હતા કે એ આ કામ
કરી શકે છે.
આપણા જીવનમાં પણ આવું જ છે, કા તો આપણે
બીજાની વાતો સાંભળી, આપણે આ કામ નહિ કરી શકીએ આવું નકારત્મક વિચારવા લાગીએ છીએ, અને
કા તો આપણે પહેલેથી જ એમ વિચારીએ છીએ કે આપણે કોઈ કામ નહિ કરી શકીએ, અને એ જ સાચું
પડે છે. હેન્રી ફોર્ડ (જેણે ફોર્ડ કંપની સ્થાપના કરી) કહે છે, કે તમે જો એમ માનો કે કોઈ
કામ તમે કરી શકશો, તો તમે એ જરૂર કરી શક્શો અને જો તમે એમ માનો કે તમે આ કામ નહિ
કરી શકો તો એ પણ તમે જરૂર કરી શકશો. કામયાબ અને નાકામયાબ વ્યક્તિમાં માત્ર વિચારોનો
જ તફાવત હોઈ છે.
તો પછી આ જીવનને બદલવું કેવી રીતે? બહુ જ
સરળ છે તમારા વિચારોને બદલીને!! તમારા જીવનની દોર તમારા હાથમાં જ છે. સૌ પ્રથમ તો
એ માન્યતાને બદલવાની જરૂર છે કે તમે જ તમારા જીવનના કરતા છો અને તમે જે ચાહો એ
જરૂર કરી શકો છો. ચાવી છે તમારા વિચારો!!
વિચારો કેવી રીતે બદલવા અને કઈ રીતે જીવનમાં
જે જોઈએ એ કેવી રીતે પ્રાપ્ત કરવું એ વિષે આના પછીના બ્લોગ માં. પણ ત્યાં લગી જરૂર
આ વિષે વિચારો અને તમારા અભિપ્રાય આપો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો