સોમવાર, 24 ઑક્ટોબર, 2016

કેટલો સમય છે તમારી પાસે?


બધા પાસે દિવસના ૨૪ કલાક છે પણ કેટલાક માણસો એ ૨૪ કલાકને સાર્થક કરી જાણે છે જયારે ગણા એને વેડફી નાખે છે. આમ જોવા જઈએ તો પુરેપરા ૨૪ કલાક છે જ નહિ, ૮ કલાક સુવામાં, ૨ કલાક નાહવા ધોવામાં, ૨ કલાક ચા પાણી નાસ્તામાં, ૮ કલાક ધંધા કા તો નોકરીમાં, ૨ કલાક આવવા જવામાં, લે બસ પૂરો થાય ગયો દિવસ તો વખત છે ક્યાં? ૨૨ કલાક તો નીકળી ગયા એ પણ તમે ઉપર કીધું એ પ્રમાણે જીવતા હો તો. બાકીના ૨ કલાક બચ્યા, પણ હજી પણ મેં યોગા, વ્યાયામ વગેરે ગણ્યું નથી, સૌથી મોટો સમય જેમાં જાય છે એવા ફોનની તો મેં વાત પણ કરી નથી. તો મને એમ થાય છે કે લોકોને પારકી પંચાત કરવાનો વખત કેવી રીતે મળતો હશે?

થોડા દિવસ પહેલા એક ગૃહિણીને મળી, ૪૨ વર્ષની ઉમર હશે એમની. એ મને કહેતા હતા કે અખો દિવસ હું એકલી હોઉં છું, છોકરાઓ શાળામાં, પતિ કામ પર, બસ સમય જ સમય છે મારી પાસે, અને બહુ જ કંટાળો આવે છે. મારી આંખો તો પહોળી રહી ગઈ, મેં તો ઉત્સાહમાં આવી ને પુછ્યું, કે સરસ તમને તો તમને જે ગમે એ કરવાનો પુરેપુરો સમય છે, તો તમે એના માટે કેમ કઈ નથી કરતા? અમે નોકરીવાળા એટલે સમય જ ન મળે, પણ તમને તો જેમ ગમે તે કરવાનો અવસર મળ્યો છે. તો અને ફાયદો ઉઠાવો.

પણ એમના જવાબથી હું નિરાશ થઇ ગઈ, એમને કહ્યું કે મારો કોઈ શોખ જ નથી, મને કાઈ કરવું ગમતું નથી. ગણા લોકોના જીવનમાં સમય છે પણ ઉત્સાહ નથી અને કોઈના જીવનમાં એટલું બધું કરવાનો ઉત્સાહ છે કે સમય ઓછો પડે છે. ભગવાનની મહેરબાની છે કે હું બીજા પ્રકારના લોકોમાંથી છું, સમય ઓછો પડે પણ કઈ નવું કરવાનો ઉત્સાહ ક્યારે ઓછો ના પડે. પણ મને આ લોકો પર દયા બહુ આવે, જીવનમાં ના નવું કરવાનો કે શીખવાનો ઉત્સાહ નહિ, જીવન કેવી રીતે ચાલતું હશે? બસ કોઈને ને કોઈને આધીન રહીને અને જયારે એ આધાર તૂટી જાય ત્યારે એ વ્યક્તિ પણ તૂટી જાય.

જીવનમાં ગમે તે મળે કે ના મળે બસ આગળ વધવાની ધગસ, વિશ્વાસ ક્યારે ખુટવો ના જોઈએ, કેટલું છે જીવનમાં કરવા માટે. હવે તો સાવ સરળ પણ બની ગયું છે, કઈ પણ કરવું હોઈ એ આંગળીના પેઢા પર થી મળી આવે છે.

આ જીવન જરૂર જન્મ, બાળપણ, શાળા, કોલેજ, લગ્ન, છોકરાઓ, છોકરાઓ ના છોકરાઓ, બીમારી અને મરણ આ બધા કરતા કઈ જુદું છે. જીવન તો એ છે કે જે આ બધા તાબક્કાઓમાં થી પસાર થાય છે. જીવન પાછળ જોવા કરતા આગળ જોઇને ચાલવાની રીત છે. જીવન બધી નિષ્ફળતામાં થી પસાર થઇ સફળતાની ચોટ પર પહોચાડવાનો રસ્તો છે. આજકાલની હાથમાંથી સરકી જતી દુનિયામાં બહુ ઓછા લોકો જીવનને જીવી જાય છે, બાકીના મરતા મરતા જીવે છે. શું મરી મરી ને જીવવું એ સાર્થક છે? તો આપણા અને પ્રાણીઓમાં ફરક શું?
 
સમય તો ઓછો છે પણ કરવાનું ગણું છે, જીવન સાર્થક તો આપણે જ બનાવવાનું છે. દિવસ નો કેટલો સમય વ્યર્થ જાય છે અને કેટલો સાર્થક એ જાણવું જરૂરી છે. જે વ્યર્થ છે અને સાર્થક બનાવી દઈએ તો આપણું જીવન પણ સાર્થક બની જાય.